RSS

મેરી આવાઝ હી પહેચાન હૈ…( એક પાનાની વાર્તા )

30 ઓગસ્ટ

images

સ્પેશિઅલ રુમ નં – ૧૩ મા સિસ્ટર ‘યાના’ આવી, અને તે સમયે પ્રીતિ આરામખુરશીમાં બેસીને લેખક હરીન્દ્ર દવે નુ “માધવ ક્યાયં નથી” પુસ્તક વાંચતીહતી. વાંચવામાં એકદમ લીન થઇ ગઈ હતી.

સિસ્ટરે આવીને પૂછ્યું,”પેશન્ટ કહાં હૈ?”

ત્યારે જ પ્રીતિ નુ ધ્યાન છૂટ્યું.તે ચમકી ગઈ,અને તરત ઉભીથઇ કહ્યું કે

‘સિસ્ટર મૈ પેશન્ટ હું.” સિસ્ટર યાના તો જોઈ જ રહી !”

ચલો ચલો,બેડ પર આ જાઓ,આરામ નહિ કરતી ક્યા ?કલ ભી મૈ જબ આઈ થી તો તુમહારે હસબંડ ને બતાયા કે,તુમ જનરલ વોર્ડ મે સબસે બાતેં કરને ગઈ હો! આરામ કરના માંગતા હૈ પ્રીતિ! ચાર દિન કે બાદ ઓપેરશન હૈ ના?”અને પ્રીતિ સાચેજ ડાહી થઈને સુઈ ગઈ, સિસ્ટરે બ્લડ સેમ્પલ લીધું, બી.પી.માપ્યું, તાવમાપ્યો, થોડો તાવ તો પ્રીતિને રહેતો જ હતો.ચાર દિવસ પછી તેના ગળામાં રહેલ કેન્સરની ગાંઠ નું ઓપરેશન હતું !
પ્રીતિને તો બેડ પર પડ્યાં ,પડ્યાં ઊંઘ આવી ગઈ.અને ઊંઘમાં જ તે પોતાને ઘેર પહોંચી ગઈ જ્યાં
તેની માત્ર બે જ વર્ષની દીકરી ‘ખુશી’ અને તેના બા ‘ગોદાવરીબેન’ છે.તેની દીકરી તેને ખુબ યાદ આવતી હતી.છમાસથી પ્રીતિનેરોજ તાવ આવતો.ઘરગથ્થું ઉપચારો તે કર્યા કરતી,પણ આ સાધારણ તાવ નહોતો,એટલે તેના પતિ પરાગે જીદ કરીને ડોક્ટરનેબતાડ્યું,અને આ બધાં ઊંડાણો નીકળી પડ્યાં.પછી તો ટેસ્ટ અને દવા ને ઈન્જેક્શનો ને ઘણું બધું….બાયોપ્સી થઈ અને એમાં ન ધારેલું પરિણામ આવ્યું. તેમાં સ્વર – પેટી નું કેન્સર ડીટેકટ થયું. ઓપરેશન નક્કી થયું,પણ ડોક્ટરે સફળતાની બહુ ગેરંટી આપી નહોતી. હા,તેમણે એટલું કહ્યું હતું કે,ઓપરેશન થયા પછી કદાચ તેની સ્વર-પેટી પર અસર થાય! અને કદાચ… અવાજ પણ ગુમાવશે…..!
પ્રીતિ ખુબ સારી વક્તા હતી.તે યુનિવર્સીટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લાસમાં ફિલોસોફીના લેક્ચર આપતી. તેને પોતાના વિષયનું જ્ઞાન એટલું બધું હતું કે તેને ફેકલ્ટી તરીકે પણ ઘણી જગ્યાએથી આમંત્રણો મળતાં તે ખુબજ મળતાવડી અને હસમુખીહતી દરેકને મદદરૂપ થવા પ્રેમથી આગળ આવતી. તેબધાને પોતાના જ માનતી,અને બધાં તેને પણ ખુબ પ્રેમ આપતા.આમ તે પોતાના “પ્રીતિ” નામને પણ સાર્થક કરતી.તેના લગ્ન પરાગ સાથે થયાં. બંને એકબીજાને ખુબ ચાહતા અને એકબીજાના કામનો અને એકબીજાના જ્ઞાનનો ખુબ આદર કરતાં.અને તેમના ઘરમાં પુત્રી રુપે ‘ખુશી’આવી.એટલી સુંદર અને રમતિયાળ કે પતિ-પત્ની બંનેનું જીવન દીકરી ના કિલ્લોલથી ભરાઈ ગયું. બસ! અને હાલરડાનાં સૂર ઘરમાં નિત્ય ગુંજવા લાગ્યાં. ખુશીને એટલી ટેવ પડી ગઈ કે,એને સુવું હોય તે વખતે પ્રીતિ હાલરડું ગાય ત્યારે જ ખુશી સુએ.અને તે પણ રોજ એક જ હાલરડું,
“મંદિર જાઉં ઉતાવળી ને ,જઈ ચડાવું ફૂલ,
મહાદેવજી પરસન થયાં ત્યારે આવ્યાં તમે અણમોલ !
તમે મારું નગદ નાણું છો,તમે મારું કુલ-વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઈને રહો !”
અને ખુશી ઘસઘસાટ સુઈ જાય, ચહેરા પર મલકાટ સાથે !
ઓપરેશન નક્કી થયું ! અને એવું પણ નક્કી કર્યું કે, પરાગ અને પ્રીતિ હોસ્પીટલમાં રહે અને ગોદાવરી બા ખુશીને સાચવે. આમ તો પ્રીતિ કઠણ મનની,અને પાછી ફિલોસોફર! છતાંય ‘મા’ તો હતી જ ને ?!તે લોકો મુંબઈ જવા નીકળવાના હતાં,ત્યારેખુશી સુઈ ગઈ હતી.પ્રીતિએ એનું પ્રિય હાલરડું ગાયું હતું ને ?! પણ અત્યારે તે પોતાના મન ઉપર કન્ટ્રોલ નહિ કરી શકે એમ લાગતાં, મન મારીને છેલ્લી વાર ખુશીને જોયા વગર જ ઘરમાંથી નીકળી ગઈ. તેનું મન દીકરીને પોકારતું રહ્યું, અને તેની આંખ એકદમ ખુલી ગઈ ! સ્વપ્ન માંથી તે બહાર આવી ગઈ અને ખુબ જ ડીસ્ટર્બ થઈ ગઈ.
ત્યાં તો પરાગ પણ કેન્ટીનમાં જમીને પાછો આવી ગયો.પ્રીતિએ તેનેકહ્યુંકે, ‘પરાગ, ઘરે ફોન કરો ને ! આજે ખુશી બહુ યાદ આવે છે, તે શું કરતી હશે ?બા ને પૂછને ?’ પરાગે ફોન જોડ્યો અને પ્રીતિના હાથમાં આપ્યો.બા એ ફોન ઉપાડ્યો ને ખુશીના રડવાનો અવાજ આવવા લાગ્યો,પ્રીતિએ ઘડિયાળ જોયુંતો રાતના ૯:૩૦ વાગ્યા હતાં.તેને ખુબ જ નવાઈલાગી,તેણે પૂછ્યું, ‘બા હજીખુશી સુતી નથી ?કેમ આટલું બધું રડે છે?’ બા એ પણ ગળગળા અવાજે કહ્યું ‘પ્રીતિ, તારું હાલરડું તેને યાદ આવતું હશે બેટા!એટલે,તારી ખોટ તેને લાગતી હશે, બાળક બોલી ન શકે, પણ તેના રડવામાં ઘણા ભાવ હોય છે.!’ આ સાંભળી પ્રીતિ જરા ઢીલી પડી ગઈ, પણ બા ને આધાર મળે તે માટે અવાજ સંયત કરી,તેણે કહ્યું, ‘બા, તુંચિંતા નકરતી,જો મારી વાત સાંભળ.મારો અવાજ જો ઓપરેશન પછી જતો રહે તો ! એટલે એમ વિચારીને મેં મારા અવાજમાં હાલરડું રેકોર્ડ કર્યું છે..અનેતે કેસેટ ટેબલ પર પડેલા પ્લેયરમાં જ છે ,ઉતાવળમાં હું તને કહેતાં ભૂલી ગઈહતી.’ અને પ્રીતિએ ફોન મૂકી દીધો.
થોડી વાર પછી બા નો જ ફોન આવ્યો, ‘ પ્રીતિ બેટા, ખુશી ઘસઘસાટ સુઈ ગઈ,તું ચિંતા ન કરતી, તારું બરાબર ધ્યાન રાખજે.ઈશ્વર સૌ સારા વાનાં કરશે.પણસાચું કહું બેટા,મને તારું ગીત સાંભળીને….’ પણ, પ્રીતિ સમજી ગઈ બા ના અધૂરા વાક્યમાં સમાયેલો અર્થ !
એ જ કે હવે કોઈ, ક્યારેય, પ્રીતિનો અવાજ નહિ સાંભળી શકે !
 

ટૅગ્સ:

3 responses to “મેરી આવાઝ હી પહેચાન હૈ…( એક પાનાની વાર્તા )

  1. જીવન કલા વિકાસ

    ઓગસ્ટ 30, 2012 at 3:32 એ એમ (am)

    સરસ
    જય સ્વામિનારાયણ…

    વીર સેનાની તાત્યા ટોપે – ૩

    Like

     
  2. Jahnvi Antani

    ઓગસ્ટ 30, 2012 at 7:24 એ એમ (am)

    ekdam touchy….. varrta.

    Like

     
  3. Jagdish

    સપ્ટેમ્બર 5, 2012 at 5:13 એ એમ (am)

    Very good one.

    Like

     

Leave a reply to જીવન કલા વિકાસ જવાબ રદ કરો

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો