RSS

એમનો સુરજ ઉગ્યો અને સદા તપતો જ રહેશે.

11 ઓક્ટોબર


રાસભાઈ,મારાં પ્રિય ગુરુ.કલા ગુરુ તો ખરા જ પણ માર્ગદર્શક પણ હતાં.એમની પાસે સંગીત-કલા  શીખતા શીખતા જીવન જીવવાની કળા પણ શીખી છું.યુવા મહોત્સવની તૈયારી હોય કે ભવન્સ નો કોઈ પ્રોગ્રામ હોય જેમાં મારે ગાવાનું હોય,અથવા આકાશવાણી રેડિયો ઉપર ગાવા માટે ગીત તૈયાર કરવાના હોય,હમેશ  મને શીખવાડવા તૈયાર જ હોય.એટલું જ નહિ,ઘરે ગીત શીખવાડે અને મને કહેશે કે, ‘જમીને જજે,તું ખાઇશ નહિ તો ગાઈશ કેવી રીતે? એ વખતે મને ખાવામાં જરા નખરા વધારે જ હતાં અને કઈ શીખવાનું હોય ત્યારે ખાવા-પીવાનું ધ્યાન રહેતું જ નહિ.”વિભાબેન ! આ છોકરીને જમાડો,”અને આવી રીતે હુ ઘણી વાર જમતા જમતા એમની જીવન પ્રત્યેની ફિલસુફી, અને વિભાબેન પાસેથી  તેમના સંગીતના અનુભવોનું ભાથું મેળવી લેતી.

અમારા ભવન્સ વર્ગમાં અમે બધાએ ખૂબ જ મજા કરી છે અને સાચું તેમ જ સારું શિક્ષણ મેળવ્યું છે.અમારા ગ્રુપમાં હું,વાઘેલા,મારુતભાઈ,અંજનાબેન,મેધાબેન,રાગિણી વોરા,પ્રવીણ જોશી.અને બીજા અનેક. દરેક પ્રોગ્રામ વખતે કૈક નવું જ મેળવ્યું છે.

મે તો તેઓની પાસેથી માત્ર લીધું…લીધું…અને લીધું જ છે.

તો આજે અંતરની અંજલિ  દ્વારા ફૂલની પાંખડી જેટલું ય ઋણ ચૂકવ્યાનું આશ્વાસન લઉં છું અને સાચા અર્થમાં ઋષિ એવા મારાં ગુરુને શત શત વંદન !

આપણે કહીએ ને કે,આ તો આમનું જ.એ રીતે અમુક ગીતો રાસભાઈ સિવાય કોઈ ગાઈ જ ન  શકે અને કોઈ ગાય તો પણ એની સરખામણી રાસભાઈ સાથે જરૂર થાય.એવા કેટલાંક મારાં ગમતાં   અને મે સાંભળેલાં ગીતો એટલે,

-માડી  તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.

-હળવા તે હાથે ઉપાડજો.

-એક એવું ઘર મળે આ વિશ્વમાં.

-આજ મે તો મધરાતે સાંભળ્યો મોર.

-હૃદયમાં વધી રહી છે.

– પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી.

આવાં અનેક  ગીતોનું મારી પાસે  સંભારણું છે.તેમાના  કેટલાંક તમને …

૧. અવિનાશ વ્યાસ.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

૨. માધવ રામાનુજ.

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

૩. માધવ રામાનુજ.

એક એવું ઘર મળે આ વિશ્વમાં,

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

એક એવું આંગણું કે જ્યાં મને;

કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ?

હા,મે ખરેખર સાંભળ્યો છે.અને એ ટહુકાર એટલે કોઈની તમાં ન હોય એવા એક કલાકારનો નાદ.…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે.

૪. ઇન્દુલાલ ગાંધી.

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.

૫. અખો ભગત અને પ્રીતમ

તિલક કરતાં ત્રેપન ગયાં,જપમાળા ના નાકાં ગયા,

તીરથ ફરી ફરી થાક્યા ચરણ,તો ય ન પહોચ્યો હરીને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યાં કાન,તો ય અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન ,

એક દિન એવો આવશે,સબળ મારાં રુદિયામાં સાલે જી,

સગાં ને મિત્રને કારણે કોઈનું જોર નવ ચાલે જી.

કાઢો કાઢો એને સૌ કરે,જાણે જન્મ્યો નહોતો જીવ?!

પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,ને એને મુવા ટાણે સંત બનાવો.

તુલસી મંગાવો,એને તિલક કઢાવો,મુખે રામનામ લેવરાવો રે…..

દવ લાગ્યા રે પછી કુવો ખોદાવો,ઈ કઈ પેર અગ્નિ હોલાશે ,

ધન હતું ઈ તો ચોર જ લઇ ગયા,પછી દીવો કરે શુ થશે રે……

હે માતપિતા  સુત ભાઈ ને ભગિની,ઈ સબ ઠગન કી ટોળી રે,

પ્રીત લગાડી તારું સર્વ લુટી લેશે,પછી રહેશે આંખો ચોળી રે…..

તળાવ બાંધ્યા પછી પાળ બંધાવો,ઈ કઈ પેર નીર ઠેરાશે રે,

કહે ‘પ્રીતમ ‘ પ્રીતે હરિ ભજન વિના,અવસર એળે જાશે રે…..

૬. ભગવતી કુમાર શર્મા.

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

અન્ય મહાનુભાવોની શબ્દાંજલિ :

-નંદિની ત્રિવેદી તેમના પુસ્તક ગૌરવ ગુર્જરીમાં નોંધે છે કે શ્રુતિ વૃંદની એલ.પી. શ્રવણમાધુરીના રેકોર્ડિંગ બાદ અવિનાશ વ્યાસ માડી તાર મંદિરીએ સાંભળ્યા બાદ ધ્યાનમગ્ન થઈ ગયા હતા અને કહ્યું હતું કે આવો અનુભવ તેમને અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલીજ વાર થયો.

-શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા ટવીટર પર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિખ્યાત ગાયક, સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનું ગુજરાતી સંગીતને અમૂલ્ય પ્રદાન યાદગાર રહેશે, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

-શ્રી રાસબિહારી દેસાઈને અંજલિ આપતા પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું કે, “પરમ સ્નેહી રાસભાઈની વિદાયના સમાચાર એક ક્ષણ માટે સ્તબ્ધ કરી દે એવા હતા. ભાઈ અંકિત ત્રિવેદીએ સમાચાર આપ્યા કે રાસભાઈ આપણી વચ્ચે નથી.શું કહું? સુરજ સ્વર અને શબ્દની ત્રિવેણી સમા તીર્થરૂપ સાધકની વિદાય આંચકો આપી ગઈ. બસ એમના નિર્વાણને મારા પ્રણામ અને શ્રદ્ધાંજલિ અને સમગ્ર પરિવારને દિલસોજી પાઠવીને રામ સ્મરણ સાથે મારી પ્રભુ પ્રાર્થના જોડું છું.”

-કવિ અંકિત ત્રિવેદીએ શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા કહ્યું છે કે ‘ગુજરાતી કાવ્ય સંગીતે એનો પોતાની મસ્તીથી એકેડમીક કામ કરનારો, ભવન્સ ક્લાસીસ ત્રણ દશકાથી ચલાવનારો, સંગીતમાં નવા અવાજોને રજૂ કરનારો પ્રતિભાવંત ગાયક, સ્વરકાર અને એકેડમીક-પાયાનું કામ કરનાર એક વિદ્વત્ત, મૂઠી ઉંચેતો ભાવક ગુમાવ્યો છે. માંડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોનું એક મોટું કિરણ આજે આથમી ગયું છે. પ્રત્યેક સ્વરકાર, પ્રત્યેક ભાવક, પ્રત્યેક હદયસ્થ રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ પાઠવે છે. ગુજરાતી સાહિત્યએ, સંગીતે થોડાક દિવસોમાં વારાફરથી મોટા મોટા દિગ્ગજો ગુમાવ્યા છે ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરવાનું મન થાય છે કે હે મા માતૃભાષાની, માતૃસંગીતની રક્ષા કરજે.”

અસ્તુ !

 

ટૅગ્સ:

1 responses to “એમનો સુરજ ઉગ્યો અને સદા તપતો જ રહેશે.

  1. જીવન કલા વિકાસ

    ઓક્ટોબર 15, 2012 at 7:18 પી એમ(pm)

    ખુબ સરસ માહિતી આપી આપે
    જય સ્વામિનારાયણ…

    Like

     

Leave a reply to જીવન કલા વિકાસ જવાબ રદ કરો

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

A way of talking

કવિતા, ગીત, ગઝલ તથા અન્ય પદ્ય રચનાઓ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

JVpedia - Jay Vasavada blog

colorful cosmos of chaos

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો