સત્સંગ એટલે,સારો સંગ અથવા સારી સોબત એવો એનો સામાન્ય અર્થ થાય.પરંતુ સત્સંગ એટલે સારી વ્યક્તિઓનો સંગ,સારા વાચનનો સંગ,અને સારા વિચારોનો પણ સંગ થાય એવું મારું માનવું છે.
ધાર્મિક અને આધ્યાત્મિક વાતો અથવા વિચારોને જ સત્સંગ ન કહેતાં,સારા આચાર-વિચારને પણ સત્સંગ જ કહેવું જોઈએ.આ ગુઢાર્થ જો સમજાય તો વ્યક્તિને મંદિરોમાં,ધાર્મિક પુરણ-કથાઓમાં,કે અધ્યાત્મિક ચર્ચા-સભાઓમાં જવાની જરૂર પણ નહિ રહે,.માનવીનું મન જો સાફ અને સ્વચ્છ હોય તો એની ઉપર સ્વાભાવિક જ નિર્મળ પ્રતિબિંબ જ ઝીલાવાના છે.આથી મન સાથેનો ઉત્તમ સંવાદ ,મન સાથેનું “મનન”પણ સત્સંગ જ ગણાય .